સંસદનું નવું સત્ર 24 જૂનથી: કિરેન રિજિજુએ ટ્વિટર પર કરી પોસ્ટ, લોકસભા અને રાજ્યસભાના સત્રની જણાવી તારીખ; 27 જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાને સંબોધશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12062024_075700_Kiran Rijju.webp)
- 12 Jun, 2024
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. સત્ર દરમિયાન અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે, નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે અને સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ સંબોધન કરશે. દરમિયાન, રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. 2024ની લોકસભા ચૂંટણી પછી આ પહેલું સંસદ સત્ર હશે, જેમાં ભાજપ ઓછી સંખ્યા સાથે સત્તામાં પાછી આવી છે. સત્રના પ્રથમ ત્રણ દિવસોમાં નવા ચૂંટાયેલા નેતાઓ શપથ લેશે અથવા લોકસભાના સભ્યપદની પુષ્ટિ કરશે અને ગૃહના અધ્યક્ષની પસંદગી કરશે.
First Session of 18th Lok Sabha is being summoned from 24.6.24 to 3.7.24 for oath/affirmation of newly elected Members, Election of Speaker, President’s Address and discussion thereon. 264th Session of Rajya Sabha will commence on 27.6.24 and conclude on 3.7.24. https://t.co/8OCbfg4CT1
— Kiren Rijiju (@KirenRijiju) June 12, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા આપશે. રિજિજુએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને આ સત્ર 3 જૂલાઈ સુધી ચાલશે. આ દરમિયાન નવા સભ્યો શપથ લેશે. આ ઉપરાંત અધ્યક્ષની પણ ચૂંટવામાં આવશે. રાષ્ટ્રપતિ પણ સત્ર દરમિયાન સંબોધન કરશે. વધુમાં તેમણે કહ્યું કે રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂને શરૂ થશે અને 3 જુલાઈના રોજ પૂર્ણ થશે.
27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી વડા પ્રધાન મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદ રજૂ કરે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં આક્રમક વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર એનડીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે.
મોદી સરકાર 3.0 એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યારથી પીએમ મોદીએ શપથ લીધા છે, ત્યારથી તેઓ તેમના 100 દિવસના એજન્ડા પર કામ કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પહેલેથી જ કહ્યું હતું કે એનડીએના છેલ્લા 10 વર્ષ માત્ર ટ્રેલર હતા અને વાસ્તવિક ચિત્ર હજુ આવવાનું બાકી છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંસદના વિશેષ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સૌની નજર સંસદના વિશેષ સત્ર પર રહેશે.